GovernmentInfrastructureNEWSPROJECTS

આજે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે, 18,800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ

આજે વિશ્વ પર્યાવરણના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. PMO દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, બપોરે આશરે 2:30 વાગ્યે વડાપ્રધાન સુરત જિલ્લાના હજીરા ખાતે પહોંચશે અને ત્યાં ચાલી રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તથા માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.

ત્યારબાદ સાંજે આશરે 4:15 વાગ્યે વડાપ્રધાન સુરતમાં અંદાજે ₹18,800 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાન દમણ જશે, જ્યાં સાંજે આશરે 6:15 વાગ્યે તેઓ દમણના નમો એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ નમો હોસ્પિટલને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારપછી સાંજે આશરે 7:15 વાગ્યે તેઓ દમણમાં અંદાજે ₹2,970 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે અંદાજે ₹885 કરોડના ચાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ કરશે.

વધુમાં તેઓ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ-6 અને પેકેજ-7ને રાષ્ટ્રને સમર્પિત કરશે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઝડપી પરિવહન, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન NH-56ના મહત્વપૂર્ણ માર્ગખંડોના ફોર-લેનિંગ સહિતના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જે આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચ વધુ સરળ બનાવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close