આજે PM મોદી દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે,ગુજરાતનું ગૌરવ !

આજે બપોરે 12:45 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમિલનાડુમાં આવેલા રામેશ્વરમ ખાતે, દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજ વર્ટિકલ લિફ્ટ મિકેનિઝમનું રિમોટલી સંચાલિત છે. પીએમ મોદી રામેશ્વરમ-તાંબરમ એક્સપ્રેસ અને કોસ્ટ ગાર્ડ જહાજના ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપીને નવા પંબન બ્રિજ અને તેના વર્ટિકલ લિફ્ટ સ્પાનનું ઉદ્ઘાટન કરશે, જે દેશનો આ પ્રકારનો બ્રિજ પ્રથમ છે.

નોંધનીય છે કે, નવો નિર્માણ પામેલા પંબન બ્રિજ 110 વર્ષ જૂના માળખાનું સ્થાન લેશે જે એક સમયે રામેશ્વરમને ભારતીય મુખ્ય ભૂમિ સાથે જોડતું હતું. બીજી અહીં મહત્વની વાત એ છે કે, આ બ્રિજનું નિર્માણકાર્ય ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની રણજિત બિલ્ટકોન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. જે ગુજરાતના તમામ બ્રિજ અને ઈન્ફ્રા. કંપનીઓ સહિત ગુજરાતનું ગૌરવ છે.
પીએમ મોદી ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. સરકારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ પુલ “₹700 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે”. તેની લંબાઈ 2.08 કિમી છે અને ભવિષ્યની માંગણીઓને પૂર્ણ કરવા માટે તેને બેવડા રેલ ટ્રેક માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

ભારતનો પહેલો દરિયાઈ પુલ, પંબન પુલ, તેના સમયનો એક એન્જિનિયરિંગ અજાયબી હતો. સમુદ્ર સપાટીથી ૧૨.૫ મીટરની ઊંચાઈએ ઊભો, તે ૧૪૫ થાંભલાઓ પર ફેલાયેલો હતો અને તેમાં ડબલ-લીફ બેસ્ક્યુલ સ્પાન – એક શેર્ઝર રોલિંગ લિફ્ટ બ્રિજ – હતો જે જહાજો પસાર થવા માટે ખુલ્લો મૂકતો હતો.
ભારત અને શ્રીલંકા, પછી સિલોનને એડમ્સ બ્રિજ રૂટ દ્વારા જોડવાનો વિચાર સૌપ્રથમ 1876 માં શોધવામાં આવ્યો હતો. જોકે, ઊંચા ખર્ચને કારણે આ યોજનાને સ્થગિત કરવામાં આવી હતી. આખરે, 1906 માં વધુ શક્ય યોજનાને મંજૂરી આપવામાં આવી: મદુરાઈથી રામેશ્વરમ થઈને ધનુષકોડી સુધીની રેલ્વે લાઇન અને ધનુષકોડીથી શ્રીલંકા સુધીની સ્ટીમર સેવા.

ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંબન સી બ્રિજ સહિત અન્ય પ્રોજેક્ટ જેમ કે, NH-40 ના 28 કિમી લાંબા વાલાજાપેટ – રાનીપેટ સેક્શનના ચાર-લેન માટે શિલાન્યાસ, NH-332 ના 29 કિમી લાંબા વિલુપ્પુરમ – પુડુચેરી સેક્શનનો 4-લેન, NH-32 ના 57 કિમી લાંબા પુંડિયંકુપ્પમ – સટ્ટનાથપુરમ સેક્શનનો, NH-36 ના 48 કિમી લાંબો ચોલાપુરમ – તંજાવુર સેક્શનનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.