GovernmentInfrastructureNEWSPROJECTS
અમદાવાદમાં ₹107 કરોડનો વાડજ ફ્લાયઓવર તૈયાર, સપ્ટેમ્બરમાં ખુલશે

અમદાવાદ: વાડજ સર્કલ અને આશ્રમ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલો ₹107 કરોડનો ચાર લેનનો ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. 700 મીટરથી વધુ લાંબા આ ફ્લાયઓવરને સપ્ટેમ્બર મહિનામાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયાર કરાયેલા આ ફ્લાયઓવરથી ઉસ્માનપુરા, રાણીપ, આશ્રમ રોડ, ભીમજીપુરા અને શાહિબાગ તરફ જતા 1 લાખથી વધુ વાહનચાલકોને લાભ મળવાની અપેક્ષા છે.
હાલ ફ્લાયઓવરની સલામતી, મજબૂતી અને લોડ-બેરિંગ ક્ષમતાની અંતિમ ચકાસણી ચાલી રહી છે. ફ્લાયઓવર શરૂ થયા બાદ વાડજ સર્કલ પર પીક અવર્સ દરમિયાન સર્જાતી લાંબી ટ્રાફિક કતારો અને વાહનચાલકોના વિલંબમાં ઘટાડો થવાની આશા છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: દેશગુજરાત



