GovernmentInfrastructureNEWSPROJECTS

વડોદરામાં 8 સપ્ટેમ્બરે PM મોદી, ₹30,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવે તેવી શક્યતા છે. મુલાકાત દરમિયાન તેઓ ₹30,000 કરોડથી વધુના રેલવે વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે વડોદરા નજીક નેશનલ હાઈવે પરના નવા બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

મોદી વડોદરાની MS યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધશે. આ પરંપરાગત જાહેર સભા નહીં હોય, પરંતુ રજિસ્ટ્રેશન દ્વારા પસંદગીના લોકો હાજર રહેશે.

PMની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ‘Clean Up Vadodara’ અભિયાન ચલાવવામાં આવશે. શહેર અને જિલ્લાના વિવિધ સ્થળોએ PMના કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયાસૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close