InfrastructureNEWS

NHAI આજથી 109 કિ.મી. લાંબા અમદાવાદ-ધોલેરા-ભાવનગર એક્સપ્રેસ વે પર ટોલ કર્યો શરુ

Ministry of Road Transport and Highways દ્વારા આજથી ગુજરાતની સ્થાપના દિવસ 1 મે, 2025ના રોજ ગુજરાતના બે મહત્વપૂર્ણ હાઈવે વિભાગો માટે નવા ટોલ દર શરુ કરવાની અંગે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચનામાં NH-751 અને NE-8ના કેટલાક ભાગોને આવરી લેવામાં આવ્યા છે.

સૂચના મુજબ, ભાવનગર નજીક નારી જંકશનથી અધેલાઈ (ધોલેરા SIRના અંતિમ ભાગ) સુધીનો NH-751નો આશરે 30 કિમીનો વિભાગ અને અધેલાઈથી ધોલેરા SIRના કોર વિસ્તારમાં જતો NE-8નો 23 કિમીનો વિભાગ ટોલ હેઠળ આવશે.

NH-751 પરનો પહેલો ટોલ વિભાગ અધેલાઈ ગામથી નારી જંકશન સુધી ફેલાયેલો છે, જે ડિઝાઇન કિમી 136.000 થી 169.308 સુધીનો વિસ્તાર આવરી લે છે અને તેની કુલ ટોલ લંબાઈ 30.727 કિમી છે. જ્યારે NE-8 પરનો બીજો વિભાગ ધોલેરા ઇન્ટરચેન્જ નજીક ડિઝાઇન કિમી 84.709 થી અધેલાઈ ઇન્ટરચેન્જ (109.019 કિમી) સુધીનો છે, જે કુલ 23.860 કિમીનો વિસ્તાર આવરી લે છે.

સૂચના અનુસાર, આ બંને માર્ગોનું સંચાલન National Highways Authority of India દ્વારા કરવામાં આવશે અને ટોલ વસૂલાત ભાવનગર જિલ્લાના ભાદભીડ ગામ નજીક સ્થિત ટોલ પ્લાઝા પરથી શરૂ કરવામાં આવશે.

આ વિકાસથી ભાવનગર અને Dholera Special Investment Region વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે. NH-751 નારી જંકશનથી શરૂ થઈ અધેલાઈ ઇન્ટરચેન્જ ખાતે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે સાથે જોડાય છે, જ્યારે NE-8 બંને વિસ્તારો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

હાલમાં SP રિંગ રોડથી ધોલેરા સુધીનો સંપૂર્ણ એક્સપ્રેસવે નિર્માણાધીન છે, અને રાજ્યના મુખ્યમંત્રીના તાજેતરના ધોલેરા પ્રવાસ મુજબ, પ્રોજેક્ટ આશરે 95 ટકા પૂર્ણ થઈ ચૂક્યો છે. National Highways Authority of India દ્વારા અધેલાઈથી ધોલેરા સુધીનો 23 કિમીનો પૂર્ણ થયેલા વિભાગ ટૂંક સમયમાં શરૂ કરવાની શક્યતા છે, જેના કારણે ભાવનગર અને ધોલેરા SIR વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close