રોડકામની પારદર્શિતા માટે AMCએ કામના સ્થળે પથ્થરના સાઈનબોર્ડ લગાવવાનું કર્યું ફરજિયાત

અમદાવાદ: Built India Media: અમદાવાદ શહેરમાં રોડ રિસરફેસિંગના કામમાં પારદર્શિતા વધારવા AMCએ હવે કામના સ્થળે પથ્થરના સાઇનબોર્ડ લગાવવાનું ફરજિયાત કર્યું છે. રોડકામ શરૂ થાય તે પહેલાં સાઇનબોર્ડ લગાવવાના રહેશે અને તેના પર કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા સહિતની વિગતો દર્શાવવી પડશે.
સાઇનબોર્ડ પર ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ, AMCનો ટોલ-ફ્રી નંબર, ઝોન, વોર્ડ અને રોડનું નામ પણ લખવાનું રહેશે. આ બોર્ડ રોડકામના સ્થળના બંને છેડે લગાવવાના રહેશે.

AMCની રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીના જણાવ્યા મુજબ, પ્રથમ બિલ ચૂકવતા પહેલાં સાઇનબોર્ડ લગાવવાનું રહેશે. અગાઉ આ પ્રકારના બોર્ડ રોડકામ પૂર્ણ થયા બાદ લગાવવામાં આવતા હતા.
રોડકામના સ્થળે લગાવવામાં આવેલા બંને સાઇનબોર્ડના ફોટોગ્રાફ્સ AMCની વેબસાઇટ પર પણ અપલોડ કરવાના રહેશે. આ નિર્ણયથી રોડકામની માહિતી જાહેર જનતા માટે સરળતાથી ઉપલબ્ધ થશે અને કામગીરીમાં જવાબદારી વધશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



