CWG 2030: કોટેશ્વર-હાંસોલ બ્રિજથી એરપોર્ટ-નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સીધી કનેક્ટિવિટી મળશે

અમદાવાદ: 2030ની કોમનવેલ્થ ગેમ્સની તૈયારી વચ્ચે AMC કોટેશ્વર-હાંસોલ રિવર બ્રિજ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ બ્રિજથી અમદાવાદ એરપોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વચ્ચે સીધી કનેક્ટિવિટી મળશે.
કોટેશ્વર અને હાંસોલ TP સ્કીમ હેઠળ સાબરમતી નદી સુધી પહોંચતા 30 મીટર પહોળા બે રસ્તાને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેડિયમ પાછળ ફૂટ ઓવરબ્રિજ સહિત નવા રોડ નેટવર્ક વિકસાવવાની પણ યોજના છે.

બ્રિજને તાજ હોટલ નજીક ફાયરિંગ રેન્જ નીચેથી પસાર થનારી ટનલ સાથે જોડવામાં આવશે. સ્ટેડિયમ આસપાસ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને ધ્યાનમાં રાખીને ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજ જેવા અન્ય પ્રોજેક્ટ્સ પણ આયોજન હેઠળ છે.
સ્ટેડિયમ સુધી પહોંચવા સાબરમતી ટોલનાકાથી રોડને 61 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે. સાથે જ ચાંદખેડા, સાબરમતી, રાણીપ અને નારણપુરા જેવા વિસ્તારોમાંથી એરપોર્ટ તરફ કનેક્ટિવિટી સુધારવા નવા રિવર બ્રિજ અને રિવરફ્રન્ટ કોરિડોરની યોજના છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા



