GovernmentInfrastructureNEWS

15 સપ્ટેમ્બર- એન્જિનીયર્સ ડે, દેશભરમાં અલગ અલગ સેક્ટરમાં એન્જીનીયરીંગના સેમિનારો દ્વારા કરાઈ ઉજવણી

આજનો દિવસ એટલે, ભારત દેશમાં અલગ અલગ સેક્ટરમાં કામ કરતા વિવિધ એન્જીનીયર્સ માટે ગર્વથી ‘I am an Engineer’ બોલવાનો દિવસ. ત્યારે, આજના રાષ્ટ્રીય એન્જીનીયર્સ દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના અલગ અલગ સેક્ટરના એન્જીનીયર્સને અભિનંદન પાઠવ્યા હતા. જે પૈકી ખાસ કરીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જેમને ભારતના વિકાસ માટે ઈનોવેટીવ, પડકારરુપ કામો કરીને ભારત દેશનું રોશન કર્યું છે તેવા સર. એમ. વિશ્વેશ્વરાયને પુષ્પાજંલિ અર્પિત કરી હતી.

સિવિલ એન્જીનીયરીંગની વાત કરીએ તો, આજે દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am a Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, આજે 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન સિવિલ એન્જિનિયર અને ભારત રત્ન એમ. વિશ્વેશ્વરાયનો જન્મ દિવસ છે. તેમના માનમાં ભારતમાં એન્જનીયર્સ દિવસની ઉજવણી થાય છે. ત્યારે અમદાવાદના સિવિલ એન્જિનીયર ડૉ. ગિરીશ શાંઘાઈએ,સિવિલ એન્જિનીયર્સ ડેની ઉજવણીના ભાગરુપે સેમિનારનું આયોજન કરીને સર એ. વિશ્વેશ્વરાયને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. તો, અમદાવાદના અદાણી-શાંતિ ગ્રામમાં ઓલ ઈન્ડિયા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા સેમિનારનું આયોજન કરીને, સર એમ. વિશ્વેશ્વરાયને પુષ્લાંજલિ આપી હતી. આ પ્રસંગે મોટીસંખ્યામાં સિવિલ એન્જીનીયર્સ અને ઓલ ઈન્ડિયા બિલ્ડર્સ એસોસિએશનના મેમ્બર્સ હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે, સર એમ વિશ્વેશ્વરાયએ એન્જિનિયરિંગ અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આધુનિક ભારતના ડેમ, જળાશયો અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર મહાન રાષ્ટ્ર-નિર્માતાઓમાં તેમની ગણના થાય છે. સર એમ વિશ્વેશ્વરાયે કર્ણાટકના કૃષ્ણ રાજા સાગર ડેમ અને હૈદરાબાદની પૂર સંરક્ષણ પ્રણાલી સહિત મુખ્ય ઈજનેર તરીકે અનેક સ્થાપત્ય અજાયબીઓના બાંધકામની દેખરેખ રાખી હતી.

એન્જિનિયર્સ ડેનો ઈતિહાસ: 1968માં, ભારત સરકારે સર એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરી. ત્યારથી, આ દિવસ આધુનિક અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે યોગદાન આપનાર અને હજુ પણ કરતા હોય તેવા તમામ એન્જિનિયરોને સન્માનિત કરવા અને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જૂના કાળમાં જે સિવિલ એન્જિનીયર હોય તે જ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું કામ કરી શકતો હતો. પરંતુ, સમયચક્ર બદલતાં હવે કોઈ પણ શ્રીમંત કે અન્ય વ્યવસાયકાર પણ બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નિર્માણ કરીને બિલ્ડર્સ કે કન્સ્ટ્રક્શન ટાઈકૂન બની શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા  

Show More

Related Articles

Back to top button
Close