
તિરુવનંતપુરમ એરપોર્ટ અદાણી જૂથને લીઝમાં આપવાના વિરુદ્ધમાં કેરળ સરકારને હાઈકોર્ટ તરફથી રાહત ન મળતાં તે હવે સુપ્રીમકોર્ટ પહોંચી છે. કેરળ સરકારે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીની ઝડપથી સુનાવણી કરવા માંગ કરી છે. કેરળ સરકારે કહ્યું છે કે હાઈકોર્ટે અનેક મહત્ત્વના તથ્યોને ધ્યાનમાં લીધા નથી. રાજ્યમાં કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન પણ રાજ્ય સરકારની કંપની કરે છે. વિશ્વભરમાં તેને સારી સરકાર માટે પ્રશંસા પણ મળી છે. આથી તેમની માંગ છે કે તિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન પણ રાજ્યની કંપનીને સોંપવામાં આવે. ઉલ્લેખનીય છે કે અદાણી જૂથને 50 વર્ષ માટે તિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન કરવાનું મળ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય ભાસ્કર
7 Comments